આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય તિરંગા રેલીનું મુખ્ય આકર્ષણ 30 ફૂટ મોટો તિરંગો, સૈનિકો,ભારત માતા,ક્રાંતિવીરો હતા. ભવ્ય તિરંગા રેલીની શરૂઆત શાળાના વાલી મિત્રો શ્રીઓએ કરી હતી.આ રેલી સૃષ્ટિ વિસ્તારમાં તેમજ છાપરાભાઠા રાધિકા પોઇન્ટ વિસ્તારમાં નીકળી હતી. રેલીમાં દરેક વિદ્યાર્થીઓને શાળા દ્વારા નિશુલ્ક રાષ્ટ્રધ્વજ આપવામાં આવ્યો હતો. આ રેલીમાં જાહેર જનતાને તેમજ સોસાયટીના પ્રમુખોને સ્ટેજ ઉપર 75 શુરવીરોની બુક આપી સન્માન કર્યા હતા.